મારું ખંભાત,આગવું ખંભાત

મારું ખંભાત આગવું ખંભાત
-શૈલેષ રાઠોડ”અભિધેય”
ખંભાત શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલું છે તેમ જ ખંભાત તાલુકાનું મુખ્ય મથક છે.

ઈતિહાસ

ખંભાત શહેરનું ભારતના મહત્વના ઉત્પાદન અને વ્યાપાર મથક તરીકે માર્કો પોલોનું વર્ણન, ૧૫મી સદી.
ખંભાતનો રાજા, ઇટાલીના ચિત્રકાર લુડોવિનો ડી વાર્થેમા દ્વારા, ૧૬મી સદી.
ખંભાત જે કેમ્બે તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ નગર છે. તે અગાઉ એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર હતું, જોકે હાલમાં તેના બંદરમાં ધીમે ધીમે કાંપ જમા થઈ ગયો છે અને તેથી દરિયાઇ વેપાર અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ખંભાત ખંભાતના અખાતના ઉત્તરના ભાગે મેદાની ભાગમાં સ્થિત છે અને તેની નજીક દરિયાની ભારે ભરતી અને ઓટ આવે છે, દરિયાઈ સપાટીમાં ૩૦ ફૂટ જેટલો બદલાવ આવે છે. ખંભાત બ્રિટિશ ભારતમાં બોમ્બેના ગુજરાત વિભાગના એક રજવાડાં રાજધાની હતી. તે ૩૫૦ ચોરસ માઇલ (૯૦૬ કિમી²) નો વિસ્તાર ધરાવે છે. એક અલગ રાજ્ય તરીકે તે મુઘલ સામ્રાજ્યમાંથી અલગ ૧૭૩૦ આસપાસ થયું હતું. તેના નવાબ મોમિન ખાન બીજાના વંશજ હતા, ૧૭૪૨ માં તેમના સાળા નિઝામ ખાન જે ખંભાતના ગવર્નર હતા તેમની હત્યા કરી ત્યાં પોતાની જાતને સ્થાપિત કરી.
પ્રાચીન કથાઓમાં આ નગરનો ઉલ્લેલ્ખ સ્તંભતીર્થ તરીકે થયો છે.ખંભાત નગર ટોલેમિ નું કેમેનેશ હોઈ શકે છે અને અગાઉ ખૂબ જ સમૃદ્ધ શહેર તેમજ વ્યાપક વેપાર બેઠક હતું. તેનુ રેશમ, છીંટ અને સોનાના પદાર્થનું ઉત્પાદન પ્રસિદ્ધ હતું. માર્કો પોલો દ્વારા ૧૨૯૩ માં તેનો એક વ્યસ્ત બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુખ્યત્વે કાંપ જામી જવાને કારણે સમુદ્ર માર્ગે ત્યાં પહોંચવું અઘરું થયું તેથી તેનું વાણિજ્ય ઘણા લાંબા સમયથી પડી ભાગ્યું છે અને નગર ગરીબ અને જર્જરિત બન્યું છે. વસંત ઋતુમાં ભરતી ૩૦ ફૂટ (૧૦ મીટર) થી ઉપર વધે છે અને આટલા છીછરા અખાતમાં વાણિજ્ય માટે તે જોખમકારક છે. ૧૯૦૦ની સાલ સુધી મુખ્ય વેપાર કપાસ નિકાસ સુધી મર્યાદિત થયો હતો. આ નગર ગોમેદ અને અકીક ઘરેણાંનાં ઉત્પાદન માટે મુખ્યત્વે ચીનમાં પ્રતિષ્ઠિત હતું. ઘણા કિસ્સાઓમાં ઘરો પથ્થરથી (તે શહેરની સદ્ધરતા સૂચવે છે કારણ કે આ પથ્થરો ખૂબ જ દૂરથી લવવામાં આવ્યા હતા) બાંધવામાં આવતા હતા અને ૩ માઈલ (૫ કિમી)ના ઘેરાવામાં શહેર, ચાર જળાશયો અને ત્રણ બજારો ફરતે ઈંટોની દિવાલ ચણેલી જેના અવશેષો હાલમાં મોજૂદ છે. દક્ષિણપૂર્વ દિશામાં ભૂમિગત મંદિરો અને અન્ય ઇમારતોના અડધા દટાયેલ અવશેષો છે, જે ભૂતકાળમાં તેમની મોટા પ્રમાણમાં સંખ્યા સૂચવે છે. આ જૈન મંદિરો છે, અને તેમના દેવતાઓની બે મોટી પ્રતિમાઓ ધરાવે છે, એક કાળી, અન્ય સફેદ છે. મુખ્ય મૂર્તિ, શિલાલેખ અનુસાર, પારિશ્વનાથ અથવા પારશ્વનાથ છે. અકબરનાસમયમાં તેમની કોતરણી કરવામાં આવી છે. કાળી મૂર્તિ પર ૧૬૫૧ની તારીખ કંડારેલી છે. ૧૭૮૦માં ખંભાત જનરલ ગોડાર્ડના સૈન્ય દ્વારા કબ્જે કરાયું. ૧૭૮૩માં પાછું મરાઠા તાબા હેઠળ ગયું અને ત્યારબાદ ૧૮૦૩ ની સંધિ હેઠળ પેશ્વા દ્વારા બ્રિટિશરોને સોંપી દેવામાં આવ્યું. તે ૧૯૦૧ માં રેલવે સાથે દ્વારા જોડવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ખંભાત શહેર અકીકના વેપાર માટે જાણીતું હતું.

ઇતિહાસ

ખંભાતની સ્થાપના ઇસ ૧૭૩૦માં ગુજરાતના મોગલ સામ્રાજ્યના છેલ્લા સૂબા નવાબ મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ સામ્રાજ્યના અસ્ત સમયે કરી હતી. ૧૭૪૨માં મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ તેના સાળા અને ખંભાતના સૂબાને હરાવ્યો અને તેની જગ્યાએ પોતાનું શાસન સ્થાપિત કર્યું.
૧૭૮૦માં ખંભાતનો કબ્જો જનરલ ગોડાર્ડ રિચાર્ડ્સની આગેવાની હેઠળ બ્રિટિશ લશ્કરે લઇ લીધો પરંતુ ૧૭૮૩માં મરાઠાઓએ તેને કબ્જે કર્યું. છેવટે ૧૮૦૩માં ૧૮૦૨ની સંધિ હેઠળ તે બ્રિટિશ શાસન હેઠળ આવ્યું.૧૮૧૭માં ખંભાત બ્રિટિશ આશ્રિત બન્યું. ૧૯૦૧માં રાજ્યમાં રેલ્વેની શરૂઆત થઇ.ખંભાતના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.

શાસકો

ખંભાત રજવાડાના શાસકો નજ્મ-ઇ-સાની શિયા મુસ્લિમ વંશના હતા. શાસકોને ‘નવાબ’ તરીકે ઓળખાતા હતા અન તેમને ૧૧ તોપોની સલામી અપાતી હતી.

નવાબો

  • ૧૭૩૦ – ૧૭૪૨ જફર નિઝામ-ઇ મુમિન ખાન પહેલો
  • ૧૭૪૨ – ૧૭૪૩ નુર ઉદ્દીન મુફ્તાખેર ખાન
  • ૧૭૪૩ – ૧૭૮૪ નજ્મ અદ-દૌલા જફર મુમિન ખાન બીજો
  • ૧૭૮૪ – ૧૭૯૦ મહમદ કોલી ખાન (મૃ. ૧૭૯૦)
  • ૧૭૯૦ – ૨૮ ઓક્ટોબર ૧૮૨૩ ફત અલી ખાન (મૃ. ૧૮૨૩)
  • ૧૮૨૩ – ૧૫ માર્ચ ૧૮૪૧ બંદા અલી ખાન (d. ૧૮૪૧)
  • ૧૮૪૧ – એપ્રિલ ૧૮૮૦ હુસાયન યાવર ખાન પહેલો (d. ૧૮૮૦)
  • ૧૧ જૂન ૧૮૮૦ – ૨૧ જાન્યુઆરી ૧૯૧૫ નજિબ અદ-દૌલા મુમતાઝ અલ-મોલ્ક જફર અલી ખાન (જ. ૧૮૪૮ – મૃ. ૧૯૧૫)
  • ૨૧ જાન્યુઆરી ૧૯૧૫ – ૧૯૩૦ …. – ગાદી સંભાળ
  • ૨૧ જાન્યુઆરી ૧૯૧૫ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ નિઝામ અદ-દૌલા નજ્મ અદ-દૌલા મુમતાઝ અલ-મોલ્ક હુસાયન યાવર ખાન બીજો (જ. ૧૯૧૧ – મૃ. ….)
  • જોવાલાયક સ્થળ

    સ્થળનું નામ:ધુવારણ જીઈબી., કામનાથ મહાદેવ કાણીસા, કોટેશ્વર મહાદેવ નગરા, શિકોતર માતાજી રાલેજ, ખંભાત નો અખાત,  ધુવારણ જીઈબી., કામનાથ મહાદેવ કાણીસા, કોટેશ્વર મહાદેવ નગરા, શિકોતર માતાજી રાલેજ, ખંભાત નો અખાત,
    સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું બસ, પ્રાઈવેટ વાહનો ઘ્વારા
    અગત્યનો દિવસ રવિવાર અને રજાના દિવસે
    અનુકુળ સમય સાંજના સમયે
  • ગ્રામ પંચાયત ૬૩
    ગામડાઓ ૬૩
    વસ્તી ૩૫રર૮૬

    વિશેષ-

    ઇતિહાસ


    ખંભાત તાલુકાનું સ્થાન આપણા વિશાળ રાષ્ટ્ર માટે સામાજીક સેવાનું વિસ્તરણ ગામ,તાલુકો,જીલ્લાની આર્થિક પ્રવૃતિઓની વિવિધતા ઘ્યાન ઉપર લઈ આર્થીક વિકાસનું આયોજન થાય તે જરૂરી છે.રાજયમાં સમૃઘ્ધ ગણાતા એવા આણંદ જીલ્લાનો ખંભાત તાલુકો કે જે ૮પ૪ચો કી.મી આવેલો છે.જેમાં ૬૩ ગામો નો સમાવેશ કરેલ છે.તે પૈકી પપ ગ્રામ પંચાયત અને ગૃપ ગ્રામ પંચાયતો આવેલી છે. ખંભાત તાલુકો ત્રણ વિસ્તારમાં વહેચાયલો છે.જે પૈકી ભાલ, ચરોતર તથા કાંઠા વિસ્તાર છે. ખંભાત તાલુકાની કુલ વસ્તી ૧,૮૪,૪૬૮ ગ્રામ્ય વિસ્તારની જ છે.
    ત્રણ વિવિધ વિસ્તારમાં વહેંચાયેલા તાલુકામાં ભાલ વિસ્તારમાં સિંચાઈની સુવિધા મહદ અંશે નહેર મારફતે થાય છે.કાંઠા વિસ્તારમાં સિંચાઈ વ્યવસ્થા પાતાળ કૂવા મારફતે થાય છે.મહદ અંશે વરસાદથી ખેતી થાય છે.જયારે ચરોતર વિસ્તારમાં પિયત સુવિધા ઉપલબ્ઘ હોવાથી આર્થીક વિકાસ થયો છે.
    ખંભાત તાલુકાનું સ્થાન એગ્રોકલાઈમેટીક ઝોન-૩માં આવેલ છે. છેલ્લા ૧૦ વર્ષનો સરેરાશ વરસાદ પ૬૦ મી.મી છે.ખંભાત તાલુકાનું અસમધાત પ્રકારનું હવામાન છે.આણંદ દુનિયામાં દુધની ક્રાંતિ માટે ઉદાહરણ રૂપ શહેર છે.સમગ્ર ગુજરાતમાં આ પ્રદેશ ભાલ તરીકે જાણીતા છે.તાલુકા માં મુખ્યત્વે ગોરાડુ પ્રકાર ની જમીન આવેલી છે.જમીન અત્યંત ફળદ્રુપતા ધરાવે છે.તમાકુ,ડાંગર, કેળ, બાજરી ,ધઉ ,રાઈ, બટાટા, શાકભાજી, ફળઝાડના પાકો આ વિસ્તાર ના મુખ્ય પાકો છે.

     -શૈલેષ રાઠોડ”અભિધેય” સંપર્ક:9825442991

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો