પોસ્ટ્સ

2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પ્રકૃતિ,સમય અને ધ્યાન એ ત્રણેય મહાન ચિકિત્સકો છે. -શૈલેષ રાઠોડ

છબી
ધ્યાન આપણામાં રહેલી નિર્બળતામાં સહાયક છે”-મહર્ષિ દયાનંદ સફળ વિધાર્થીની વિશેષતા એ જ કે તે એકચિતે અને તલ્લીન થઈ અભ્યાસ કરે છે.એક જ વર્ગખંડમાં ભણતાં 60 વિધાર્થીમાં એકના 100 માઠી 20 ગુણ આવે અને બીજાના 100 માઠી 100 આવે તેનું મૂળ કારણ ધ્યાન. શું તમે 100 ટકા સફળતા ઈચ્છો છો?તમે ઈશ્વરને પામવા ઈચ્છો છો?- -મહાન વ્યક્તિઓ વિપતિ આવે ત્યારે ધ્યાન ધરે છે. -ઈશ્વરને પામવા ધ્યાન જરૂરી અને પ્રગતિનો આધાર પણ ધ્યાન જ છે. -જે ધ્યાન ધરી શકે તે જે ઈચ્છે તે મેળવી શકે. – કાશ્મીરમાં બુલેશાહ નામે એક મોટા સૂફી સંત થઈ ગયા. કવિ તરીકે પણ એ વિખ્યાત છે. એમના ગુરુ હતા ઈનાયતશાહ. ઈનાયતશાહ માળીનું કામ કરતા હતા. એ બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યાં બુલેશાહ આવ્યા. બુલેશાહે એમને પ્રશ્ન કર્યો : ‘ગુરૂજી, હું ખુદાને કેવી રીતે પામી શકું ?’ ઈનાયતશાહે જવાબમાં મૂળમાંથી એક છોડવાને ઉખેડી નાખ્યો અને પછી ફરીથી તેને બીજી જગ્યાએ રોપ્યો. બુલેશાહને કંઈ સમજ ન પડી. તેણે પૂછ્યું : ‘છોડવાને એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપવાનો શો અર્થ ?’ ઈનાયતશાહે જવાબ આપ્યો : ‘ખુદાને પામવા તમારે માત્ર તમારા ધ્યાનના મૂળને એક જગ્યાએથી ઉપાડી લઈ બીજી જગ્યાએ પરોવવાનું છે.

“મૂર્ખાઓ જ અભિમાન કરે છે”-shailesh rathod

છબી
ચિંતનલેખ -શૈલેષ રાઠોડ “નમ્રતા વ્યક્તિના દુર્ગુણોને છુપાવી દે છે જ્યારે અભિમાન વ્યક્તિના સદગુણોને છુપાવી દે છે.”-પ્રેમચંદ જે નમ્ર છે તે ઈશ્વરને ચાહે છે.નમ્ર હદયવાળો મનુષ્ય આજીવન આનંદથી જીવે છે અને ગુસ્સાવાળો મનુષ્ય આજીવન દુખી રહે છે જો તમે તમારા જીવનને ઉન્નત સફળ બનાવવા ઇચ્છતા હો તો- -નમ્ર બનો,સહુ કોઈ તમને શોધશે. -પરિવાર અને મિત્રોમાં સ્નેહને વહેતું રાખો. જનરલ અને કરિઅપ્પાના ભાઈ કુમારપ્પા ગાંધીજીને મળવા પહેલવહેલા આશ્રમમાં ગયા. ત્યાં માથે ફાળિયું બાંધી એક ડોસો વાસીદું કાઢતો હતો, તેથી તેમણે ગાંધીજીને ખબર આપવા કહ્યું. ડોસાએ પૂછ્યું : ‘કેટલા વાગ્યે મળવાનું ગાંધીજીએ રાખ્યું છે ?’ કુમારપ્પા ગુસ્સે થયા : ‘તેનું તારે શું કામ ? તું તારે જઈને ખબર આપ. મળવાનું ચાર વાગ્યે રાખ્યું છે.’ ડોસો બોલ્યો : ‘પણ હજી તો સાડા ત્રણ જ થયા છે.’ કુમારપ્પા ફરી છંછેડાયા : ‘પાછો ડાહ્યો થયો ? જા, મારા કહ્યા મુજબ કર.’ આથી ડોસો મૂંગો મૂંગો બીજા ખંડમાં ગયો અને થોડીવારે પાછા આવી કહ્યું : ‘સાહેબ, બેસો. ગાંધીજી આપને ચાર વાગ્યે મળશે.’ કુમારપ્પા ગાદી પર બેઠા. બરાબર ચાર વાગે માથેથી ફાળિયું છોડી નાખી પેલા ડોસાએ પ

પ્રકૃતિ,સમય અને ધ્યાન એ ત્રણેય મહાન ચિકિત્સકો છે. -શૈલેષ રાઠોડ

છબી
ધ્યાન આપણામાં રહેલી નિર્બળતામાં સહાયક છે”-મહર્ષિ દયાનંદ સફળ વિધાર્થીની વિશેષતા એ જ કે તે એકચિતે અને તલ્લીન થઈ અભ્યાસ કરે છે.એક જ વર્ગખંડમાં ભણતાં 60 વિધાર્થીમાં એકના 100 માઠી 20 ગુણ આવે અને બીજાના 100 માઠી 100 આવે તેનું મૂળ કારણ ધ્યાન. શું તમે 100 ટકા સફળતા ઈચ્છો છો?તમે ઈશ્વરને પામવા ઈચ્છો છો?- -મહાન વ્યક્તિઓ વિપતિ આવે ત્યારે ધ્યાન ધરે છે. -ઈશ્વરને પામવા ધ્યાન જરૂરી અને પ્રગતિનો આધાર પણ ધ્યાન જ છે. -જે ધ્યાન ધરી શકે તે જે ઈચ્છે તે મેળવી શકે. – કાશ્મીરમાં બુલેશાહ નામે એક મોટા સૂફી સંત થઈ ગયા. કવિ તરીકે પણ એ વિખ્યાત છે. એમના ગુરુ હતા ઈનાયતશાહ. ઈનાયતશાહ માળીનું કામ કરતા હતા. એ બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યાં બુલેશાહ આવ્યા. બુલેશાહે એમને પ્રશ્ન કર્યો : ‘ગુરૂજી, હું ખુદાને કેવી રીતે પામી શકું ?’ ઈનાયતશાહે જવાબમાં મૂળમાંથી એક છોડવાને ઉખેડી નાખ્યો અને પછી ફરીથી તેને બીજી જગ્યાએ રોપ્યો. બુલેશાહને કંઈ સમજ ન પડી. તેણે પૂછ્યું : ‘છોડવાને એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપવાનો શો અર્થ ?’ ઈનાયતશાહે જવાબ આપ્યો : ‘ખુદાને પામવા તમારે માત્ર તમારા ધ્યાનના મૂળને એક જગ્યાએથી ઉપાડી લઈ બીજી જગ્યાએ પરોવવાનું છે

shailesh rathod introduction

છબી
SHAILESH RATHOD શૈલેષ રાઠોડ "અભિધેય' કે જેઓ સાહિત્ય જગતમાં "અભિધેય" ના ઉપનામથી જાણીતા છે તો પત્રકાર જગતમાં શૈલેષ રાઠોડથી જાણીતા છે.તેઓ હાલમાં ફ્રીલાંસ જર્નાલિસ્ટ તરીકે કાર્યરત છે.તેઓ ગુજરાત સમાચાર,સંદેશ,દિવ્યભાસ્કર,નયા પડકાર જેવા અખબારોમાં સિનિયર જર્નાલિસ્ટતરીકે કામ કરી ચૂકેલ શૈલેષ રાઠોડ ઉત્તમ લેખક છે.તેઓ 67 વર્ષ જૂના ગાંધીયુગના સાપ્તાહિક "નવસંસ્કાર 'માં સંપાદક છે. છેવાડાના માનવીની સમસ્યાને પ્રથમ મહત્વ આપવું અને પત્રકાર તરીકે હમેશા વિપક્ષ માં બેસવું -તે તેમનો મુખ્ય ધ્યેય છે. તેઓ એક ઉત્તમ સર્જક અને પ્રતિષ્ઠિત પત્રકાર છે.બાળપણથી જ સાહિત્ય પ્રત્યે અભિમુખ હોય તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિ. થયા છતાં સાહિત્યને હૈયે રાખી સર્જનકાર્ય ચાલુ જ રાખ્યું.તેમણે ગુજરાતી સાહિત્યમાં 16 જેટલા પુસ્તકોનીની ભેટ આપી છે.તેમનું સૌથી પ્રસિદ્ધ બનેલ પુસ્તક 'આત્માનું સૌંદર્ય"મહત્તમ ગુજરાતી પરિવારો માટે પ્રેરણા રૂપ બનેલ છે.40 હજારથી વધુ નકલો તેની વેચાઈ ચૂકી છે.તેઓએ ગુજરાતી સાહિત્યમાં 17 જેટલા પુસ્તકોનું પ્રદાન કરેલ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નિર્મિત એડોલેશન કાર્