પ્રેરક કથા

પ્રેરક કથા

એક ખેડૂત હતો. એની પાસે જમીન હતી. બધો વ્યવહાર બહુ સારી રીતે ચાલતો હતો. કંઈ પણ કારણસર એની જમીન જતી રહી અને બીજે દિવસે એને ખેતમજૂર તરીકે કામ કરવાનો વારો આવ્યો. એ તો મન મૂકીને મજૂરી કરવા માંડ્યો. એક-બે વર્ષ કામ કર્યા પછી એક દિવસે તેણે તેની પત્નીને કહ્યું : આજકાલ આપણે કેટલાં સુખી છીએ ! આખો દિવસ કામ કરીએ છીએ, પ્રમાણિકતાથી મહેનત કરીએ છીએ. ભગવાન આપે એ લઈ લઈએ છીએ અને ઘેર આવીને ભગવાનનું નામ લઈએ છીએ. જે કંઈ ભોજન મળે છે એ ખાઈ લઈએ છીએ. રાતે કોઈ વાતની ચિંતા નથી હોતીપણ આપણે જ્યારે જમીનના માલિક હતા ત્યારે કેટલી ચિંતા હતી ! આખી રાત જાગવું પડતું હતું. કાલે કોને શું કામ આપીશ એની ચિંતા થયા કરતી હતી. કામ બરાબર ન થાય તો ગુસ્સો પણ આવતો હતો. દ્વેષ, ઝઘડા પણ થયા હતા. ત્યારે પૈસા વધારે મળતા હતા, આજે ઓછા મળે છે. પણ આજે કેટલી શાંતિ છે ! આપણું જીવન ધન્ય છે.
કહેવાનો અર્થ છે કે માત્ર શરીરથી તો કામ કરી લીધું, તો કામ કર્યા પછી તે પૂરું થઈ ગયું. પણ આપણે તેને ઈમાનદારીથી, પ્રમાણિકતાથી કરીએ તો એ કામ સેવા બની જાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

મેરિટ કેલ્ક્યુલેટર TET-1 TET-2, TAT AND HTAT BHARTI MERIT CALCULATOR.